Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું:દિલ્હીથી આવેલાં તમામ 35 મુસાફરો સુરક્ષિત, અકસ્માતને કારણે પ્રયાગરાજની ફ્લાઇટ રદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું:દિલ્હીથી આવેલાં તમામ 35 મુસાફરો સુરક્ષિત, અકસ્માતને કારણે પ્રયાગરાજની ફ્લાઇટ રદ
છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનનું ટાયર ફાટી ગયું. શુક્રવારે બપોરે એલાયન્સ એરની ફ્લાઇટ જ્યારે દિલ્હીથી બિલાસપુર પહોંચી ત્યારે આ દુર્ઘટના થઈ. વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી લેવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ 35 મુસાફરો સુરક્ષિત છે. આ જ ફ્લાઇટને બિલાસપુરથી પ્રયાગરાજ જવાનું હતું, પરંતુ એરપોર્ટ મેનેજમેન્ટે તેને રદ કરી દીધી છે. જોકે, તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, રનવે પર લેન્ડિંગ બાદ વિમાન દોડી રહ્યું હતું, ત્યારે જ ટાયર ફાટવાનો અવાજ સાંભળીને મુસાફરો ગભરાઈ ગયા. જોકે, પાયલટે સ્થિતિને સંભાળીને વિમાનને સુરક્ષિત રોકી લીધું. એરપોર્ટ પર હાજર સ્ટાફ તરત જ સક્રિય થયો અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. વિમાન દુર્ઘટનાઓ સંબંધિત બે ઘટનાઓ... 27 જુલાઈ: દુબઈ-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગોની ઇન્ટરનેશનલ ફ્લાઇટને ગયા મહિને 27 જુલાઈએ ગુજરાતના રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટ દરમિયાન પાઇલટોને વિમાનના નીચેના કાર્ગો હોલ્ડમાં ધુમાડો હોવાનું એલર્ટ મળ્યું. આ પછી ક્રૂએ તરત જ ઇમરજન્સી જાહેર કરી. પાઇલટોએ રાજકોટ ATC પાસેથી પ્રાથમિકતાના આધારે લેન્ડિંગની પરવાનગી માંગી. ATCએ વિમાનને સુરક્ષિત ઉતારવા માટે જરૂરી વ્યવસ્થા કરી. સાવચેતીના ભાગરૂપે રનવે પાસે ફાયર ટેન્ડર અને મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને એલર્ટ રાખ્યા પછી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. 4 ઓગસ્ટ: એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક 300 ફૂટ નીચે આવી, 17 ઘાયલ થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ 4 ઓગસ્ટે અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. આ ઘટના ઓડિશાના ઝારસુગુડા પાસે બની હતી, જ્યારે એરબસ A320 લગભગ 36,220 ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. જોકે, બાદમાં ફ્લાઈટનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. આ ઘટનામાં 17 મુસાફરો ઘાયલ થયા હતા. શરૂઆતમાં એર ઈન્ડિયાએ આ ઘટનાને ટર્બ્યુલન્સ ગણાવી હતી. બાદમાં એરલાઈને તેના નિવેદનમાંથી ‘ટર્બ્યુલન્સ’ શબ્દ હટાવી દીધો અને તેને માત્ર ‘ક્રુઝ દરમિયાન અચાનક ઊંચાઈ ઘટવી’ તરીકે વર્ણવ્યું. DGCA આ મામલે તપાસ કરી રહ્યું છે. જોકે, ઘટનાનું સાચું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan