crime
બોટાદમાં રહેણાંક મકાન ધરાશાયી:ઉપરના માળે બાંધકામ દરમિયાન બની ઘટના, ચારનો આબાદ બચાવ
બોટાદના ભાંભણ રોડ પર આવેલા અક્ષર વાડી વિસ્તારમાં એક રહેણાંક મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મકાનમાં હાજર ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મકાનના ઉપરના માળે બાંધકામની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જ આ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થવાને કારણે તેમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar