Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા અમદાવાદના ત્રણ શખ્સો ઝડપાયા:પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને સિંહ પજવણીનો આક્ષેપ, વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 17, 2026 👁 4 views
ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા અમદાવાદના ત્રણ શખ્સો ઝડપાયા:પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને સિંહ પજવણીનો આક્ષેપ, વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ તેમજ સિંહને પજવણી જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન વિભાગનો સ્ટાફ ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે. જસાધાર રેન્જમાં વન વિભાગની તાત્કાલિક કાર્યવાહી જસાધાર રેન્જ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે બહારથી આવેલા કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા તેમજ સિંહને પજવણી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાની માહિતી વન વિભાગને મળી હતી. માહિતીના આધારે જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદના નિકોલના ત્રણ શખ્સો ઝડપાયા વન વિભાગે ઝડપી પાડેલા શખ્સોમાં અમદાવાદના નિકોલ વિસ્તારના આશિષ મનસુખભાઈ વિરાણી (ઉં.વ. 40), અર્ચિત કિશોરભાઈ જિયાણી (ઉં.વ. 28) અને ધવલ કિશોરભાઈ વસોયા (ઉં.વ. 36)નો સમાવેશ થાય છે. વન્યજીવ અધિનિયમ હેઠળ કાર્યવાહી પકડાયેલા ત્રણેય શખ્સો સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 સહિત લાગુ પડતી અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર જેવા સંવેદનશીલ વન્યજીવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગની ટીમે હાથ ધરી કામગીરી આ સમગ્ર કામગીરી જસાધાર રેન્જના વનપાલ એમ.એચ. સોંદરવા, વનપાલ આર.એન. મોરી, વનરક્ષક ડી.એન. વાઢેલ અને વનરક્ષક એન.એસ. ગમારા દ્વારા કરવામાં આવી હતી. વન વિભાગે પ્રવાસીઓ તેમજ બહારગામથી ગીર વિસ્તારમાં આવતા મુલાકાતીઓને અપીલ કરી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહ પજવણી અથવા વન્યજીવોને ખલેલ પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ ન કરવામાં આવે. આવી પ્રવૃત્તિ વન્યજીવો તેમજ માનવ સુરક્ષા માટે જોખમી બનવાની સાથે કાયદેસર ગુનો પણ બની શકે છે. સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહ પજવણી અથવા અન્ય કોઈ શંકાસ્પદ વન્યજીવ સંબંધિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના વન વિભાગના અધિકારી અથવા કર્મચારીને જાણ કરે. ગીરના સિંહો અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાઈ રહે તે માટે સૌનો સહયોગ જરૂરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan