crime
જામનગરમાં જર્જરિત મકાનની દીવાલમાંથી પથ્થરો પડ્યા:અફરાતફરી મચતાં મનપાની એસ્ટેટ અને ફાયર ટીમ સ્થળ પર
જામનગર શહેરના રૂગનાથ શેરી લુહાર સાર વિસ્તારમાં સેન્ટ્રલ બેન્ક સામે આવેલા એક જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો પડ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં દોડધામ જોવા મળી હતી. પથ્થરો પડવાના અવાજથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટીમો દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા જર્જરિત મકાનના કારણે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મકાનના જોખમી ભાગને દૂર કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar