Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Mamata Banerjeeને કોર્ટ પરિસરમાં બેઠકની મંજૂરી, જુલૂસ કાઢવાની મનાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
Mamata Banerjeeને કોર્ટ પરિસરમાં બેઠકની મંજૂરી, જુલૂસ કાઢવાની મનાઈ
West Bengalના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠકને લઈને ચાલી રહેલી અસમંજસતા આખરે દૂર થઈ ગઈ છે. કલકત્તા હાઈકોર્ટે બેઠક યોજવાની મંજૂરી આપી છે, જોકે તેના માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. મમતા હુગલીના શ્રિરામપુરમાં જુલૂસ કાઢવા માંગતા હતા. તેમની અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે જુલૂસની જગ્યાએ બેઠક યોજવાની મંજૂરી આપી હતી. જોકે, જગન્નાથ મંદિરના અધિકારીઓ બેઠક માટે જમીન આપવા તૈયાર ન થતાં ફરી મુશ્કેલી ઊભી થઈ હતી. હવે મમતાને કોર્ટ પરિસરમાં બેઠક કરવાની મંજૂરી મળી છે. સિંગલ બેન્ચે આપ્યો નિર્ણય ચીફ જસ્ટિસના નિર્દેશ બાદ સિંગલ બેન્ચે આ બેઠક અંગે નિર્ણય લીધો હતો. જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની સિંગલ બેન્ચે બેઠક યોજવાની મંજૂરી આપી છે. અગાઉ મમતા બેનર્જીએ કોર્ટ પરિસરમાં બેઠક યોજવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે, જગન્નાથ મંદિરના અધિકારીઓ જમીન આપવા તૈયાર ન હોવાથી હવે બેઠક કોર્ટ પરિસરમાં જ યોજવી પડશે. મમતા બેનર્જીની બેઠક 26 સપ્ટેમ્બર, શનિવારે યોજાશે. શ્રિરામપુર કોર્ટ પરિસરમાં સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી બેઠક યોજાશે. તેમાં 1,000થી વધુ સમર્થકો હાજર રહી શકશે નહીં. તેમજ કોઈ જુલૂસ કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી. જગન્નાથ મંદિરના અધિકારીઓએ જમીન કેમ ન આપી? જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ અધિકારીઓને કહ્યું કે માત્ર રાજકીય કારણોસર જમીન પર બેઠક યોજવાની મંજૂરી ન આપવી જોઈએ. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ અન્ય રાજકીય પક્ષના મામલામાં પણ આ જ નિર્ણયનું ધ્યાન રાખવું જોઈએ. જોકે, જમીન ખાનગી માલિકીની હોવાથી કોર્ટની સત્તા મર્યાદિત છે. તેમ છતાં જજ જાણવા માંગતા હતા કે જમીન ન આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો. કોર્ટની શરતો સાથે મંજૂરી જગન્નાથ મઠ તરફથી વકીલ જિષ્ણુ ચૌધરીએ કોર્ટને જણાવ્યું કે 5 જુલાઈના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ મુજબ જમીન પર માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કારણોસર રાજકીય બેઠક માટે જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જજે આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે ભવિષ્યમાં એવું ન બને કે કોઈ અન્ય રાજકીય પક્ષને આ જ મેદાન આપવામાં આવે. મમતા બેનર્જીના વકીલ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે અધિકારીઓ હવે 5 જુલાઈના ઠરાવનો ઉલ્લેખ કરી રહ્યા છે, પરંતુ કેસની શરૂઆતમાં તેમણે આ ઠરાવ વિશે કોર્ટને જણાવ્યું નહોતું. આ પણ વાંચો: મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ FIR, HCની શરતોના ઉલ્લંઘન પર એક્શન
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan