Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી, ગૃહ મંત્રાલયને કરાઈ જાણ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 1, 2026 👁 3 views
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી, ગૃહ મંત્રાલયને કરાઈ જાણ
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીવાળા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને "કટ્ટર આતંકવાદીઓ" દ્વારા મારી નાખવામાં આવશે. લોક જનશક્તિ પાર્ટી (LJP) ના વડા અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી પાસવાન હાલમાં 'Z-પ્લસ' સુરક્ષા કવચ ધરાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ બાબતની જાણ કરવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને પણ જાણ કરવામાં આવી છે. વધુમાં CRPF અને બિહાર સરકારને જાણ કરવામાં આવી છે. ચિરાગ પાસવાનના સચિવ દ્વારા ગૃહ મંત્રાલયને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, "આજે મંત્રાલયને બે મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરતો એક અનામી પત્ર મળ્યો. પત્ર ખોલતા જ ખબર પડી કે માનનીય કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રીના જીવને સીધો ખતરો છે." News Alert ! Union Minister Chirag Paswan, a Z-category protectee, gets threat message; seeks Home Ministry probe: Food Processing Ministry. Union Minister Chirag Paswan's office seeks review of security arrangements in view of threat message: Official. pic.twitter.com/cCDgya9v7k — Press Trust of India (@PTI_News) September 1, 2026 પત્રમાં લખ્યું હતું કે, "ટૂંક સમયમાં કટ્ટર આતંકવાદીઓ દ્વારા તમારી હત્યા કરવામાં આવશે." તેમાં વધુમાં કહેવાાં આવ્યું છે કે આ મામલો તાત્કાલિક ઉઠાવવામાં આવે, તપાસ કરવામાં આવે અને મંત્રીની સુરક્ષાના મુદ્દાની સમીક્ષા કરવામાં આવે. પહેલા પણ ધમકી મળી હતી ચિરાગ પાસવાનને આવી ધમકી મળી હોય તેવું આ પહેલી વાર નથી. અગાઉ જુલાઈ 2025 માં તેમની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યાના થોડા સમય પછી તેમને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હોવાના અહેવાલ છે, જેના કારણે LJP (R) ના પ્રવક્તાએ પટના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટીએ 5 સપ્ટેમ્બરનો ઈન્ડિયા ગેટ માર્ચ કર્યો રદ, સુપ્રીમ કોર્ટે ચાર રાજ્યોમાં વિદ્યાર્થીઓ વિરૂદ્ધ FIR કરી રદ આ તાજેતરની ધમકી રાજકીય નેતાઓ સાથે સંકળાયેલી શ્રેણીબદ્ધ સમાન ઘટનાઓ વચ્ચે આવી છે. ઓગસ્ટની શરૂઆતમાં NCP નેતા ઝીશાન સિદ્દીકીએ રોહિત ગોદારા ગેંગના સભ્ય તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. ચિરાગ પાસવાન કોણ છે? રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન હાલમાં મોદી સરકારમાં મંત્રી છે. તેમને 30 વર્ષની ઉંમરે સંસદીય બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બિહારના જમુઈ મતવિસ્તારમાંથી સંસદ સભ્ય (MP) તરીકે સેવા આપે છે. ચિરાગ પાસવાન રામવિલાસ પાસવાન અને તેમની બીજી પત્ની રીનાના પુત્ર છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1982 ના રોજ થયો હતો.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan