politics
ભગીરથસિંહ ઝાલાએ પદગ્રહણ કર્યું:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની શહેરી વિકાસ સમિતિના ચેરમેન બન્યા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સમિતિના ચેરમેન તરીકે ભગીરથસિંહ જસુભા ઝાલાએ વિધિવત રીતે પદગ્રહણ કર્યું છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહમાં મેયર રાકેશભાઈ રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમણે ભગીરથસિંહ ઝાલાને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. નવી જવાબદારી સંભાળ્યા બાદ ભગીરથસિંહ ઝાલાએ શહેરના વિકાસને વધુ વેગ આપવા તથા શહેરી વિકાસ અને ગૃહનિર્માણને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
Read full article on Divya Bhaskar