Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જન્માષ્ટમી 2026: 4 કે 5 સપ્ટેમ્બર? કેલેન્ડર નહીં, આ નિયમોથી નક્કી થાય છે વ્રતનો સાચો દિવસ

📰 Abp News 🕐 1 min read 📅 August 31, 2026 👁 6 views
જન્માષ્ટમી 2026: 4 કે 5 સપ્ટેમ્બર? કેલેન્ડર નહીં, આ નિયમોથી નક્કી થાય છે વ્રતનો સાચો દિવસ

દર વર્ષની જેમ વર્ષ 2026 માં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની તારીખને લઈને શ્રદ્ધાળુઓના મનમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે આપણે કેલેન્ડર જોઈને તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે ઉજવવી કે 5 સપ્ટેમ્બરે, તેનો નિર્ણય માત્ર તારીખ જોઈને કરી શકાતો નથી. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી, મધ્યરાત્રિનો 'નિશીથ કાળ' અને રોહિણી નક્ષત્ર આ ત્રણ બાબતોનો ચોક્કસ સમન્વય જન્માષ્ટમીની સાચી તિથિ નક્કી કરે છે. આ જટિલ ગણતરીઓના કારણે જ અલગ-અલગ પરંપરાઓ અને સંપ્રદાયોમાં તહેવારની તારીખમાં એકાદ દિવસનો તફાવત જોવા મળે છે.

વર્ષ 2026 માં ક્યારે છે જન્માષ્ટમી?

હિન્દુ પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં ભાદરવા વદ અષ્ટમીની શરૂઆત 4 સપ્ટેમ્બરના રોજ સવારે 2:25 વાગ્યે થશે, જે 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:13 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સાથે જ, જન્માષ્ટમીમાં અતિ મહત્વનું ગણાતું રોહિણી નક્ષત્ર 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:04 વાગ્યા સુધી રહેશે. પૌરાણિક કથાઓ મુજબ શ્રી કૃષ્ણના જન્મ સમયે આ નક્ષત્ર હોવાથી તેની હાજરીને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

પૂજા માટેનો શ્રેષ્ઠ મુહૂર્ત (નિશીથ કાળ)

ધાર્મિક માન્યતાઓ મુજબ, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં દેવકી અને વાસુદેવના ઘરે મધ્યરાત્રિના સમયે થયો હતો. શાસ્ત્રોમાં આ મધ્યરાત્રિના સમયગાળાને 'નિશીથ કાળ' કહેવામાં આવે છે. આ વર્ષે નિશીથ કાળની પૂજાનો અત્યંત શુભ સમય રાત્રે 11:57 થી શરૂ થઈને 12:43 વાગ્યા સુધીનો રહેશે. સ્માર્ત પરંપરામાં અષ્ટમી તિથિ આ નિશીથ કાળમાં આવતી હોય તેને જ તહેવારની ઉજવણીનો મુખ્ય આધાર માનવામાં આવે છે.

ઉપવાસ અને પારણાના નિયમો

જન્માષ્ટમીના પવિત્ર વ્રત દરમિયાન એકાદશીના ઉપવાસ જેવા જ કડક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ વ્રતમાં અનાજ કે કોઈપણ પ્રકારનો ભારે ખોરાક લેવાની સ્પષ્ટ મનાઈ છે. ઉપવાસની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને બીજે દિવસે સૂર્યોદય પછી ચોક્કસ મુહૂર્તમાં વ્રત ખોલવામાં આવે છે, જેને 'પારણા' કહેવાય છે. કેટલાક લોકો રાત્રે 12 વાગ્યે જન્મની ધાર્મિક પૂજા કર્યા પછી તરત જ ઉપવાસ છોડી દેતા હોય છે, પરંતુ પંચાંગ મુજબ ધાર્મિક પારણાનો સાચો સમય 5 સપ્ટેમ્બરના રોજ સવારે 6:01 વાગ્યાનો છે. જોકે, ભારતમાં ઘણા પ્રાંતોમાં રાત્રે 12:43 વાગ્યા (નિશીથ કાળ પૂર્ણ થયા) પછી પણ પારણા કરવાની પ્રથા પ્રચલિત છે.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બર 2026માં 4 ગ્રહોનું મોટું ગોચર: જાણો કઈ રાશિને થશે ધનલાભ અને કોને સાવધાનીની જરૂર

લોકોના મનમાં ઉદભવતા કેટલાક સામાન્ય પ્રશ્નો

ફક્ત અષ્ટમી તિથિ જ કેમ પૂરતી નથી?

ભગવાનનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, તેથી માત્ર અષ્ટમીની તિથિ જ નહીં, પરંતુ તેની સાથે રાત્રિનો નિશીથ કાળ અને રોહિણી નક્ષત્ર પણ જન્માષ્ટમી નક્કી કરવા માટે મહત્વના આધારસ્તંભ મનાય છે.

નિશીથ કાળનું વિશેષ મહત્વ શું છે?

કાન્હાનો જન્મ મધ્યરાત્રિના ઘોર અંધકારમાં થયો હોવાથી આ સમયગાળામાં (નિશીથ કાળમાં) અષ્ટમી તિથિની હાજરી હોવી અનિવાર્ય મનાય છે.

જો રોહિણી નક્ષત્ર ન હોય તો શું જન્માષ્ટમી ઉજવી ન શકાય?

એવું બિલકુલ નથી. ઉજવણીનો મુખ્ય આધાર અષ્ટમી તિથિ અને નિશીથ કાળ છે. જો તેની સાથે રોહિણી નક્ષત્રનો પણ સંયોગ મળે તો તે અત્યંત ફળદાયી અને વિશેષ ગણાય છે.

વ્રત દરમિયાન ભોજનનો ત્યાગ કેમ કરવામાં આવે છે?

એકાદશીની જેમ આ પવિત્ર દિવસે પણ શારીરિક અને માનસિક શુદ્ધિ માટે અન્નનો ત્યાગ કરી, શ્રદ્ધાપૂર્વક માત્ર ભગવાન કૃષ્ણના નામસ્મરણ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને પંચાંગ પર આધારિત છે. કોઈપણ નિયમ કે વ્રતનું પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાત અથવા તમારા આચાર્યની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચોઃ ચંદ્રગ્રહણ પૂરું પણ આ 4 રાશિઓ માટે 15 દિવસ ભારે! જાણો કોના જીવનમાં આવશે મોટો ભૂકંપ

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan