lifestyle
વડનગરની વિવેકાનંદ વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો:24 વિદ્યાર્થીઓએ શિક્ષક-આચાર્યની ભૂમિકા ભજવી; અન્ય શાળાના શિક્ષકોનું સન્માન કરાયું
શ્રી વિવેકાનંદ વિદ્યાલય, વડનગર ખાતે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ દિવસે શાળાના 24 વિદ્યાર્થીઓએ શિક્ષક, આચાર્ય, ક્લાર્ક અને સેવકની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકો રાજેશભાઈ રાજદેવ, બાબુભાઈ સોલંકી, પુરીબેન ચૌધરી, કિરીટભાઈ પ્રજાપતિ અને સેવક દિનેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોતાની કામગીરી શ્રેષ્ઠ રીતે બજાવી. કૃપાબેન ભીલે આચાર્યની ભૂમિકા ભજવી હતી, જ્યારે દેવીબેન આચુએ ઉપાચાર્યની ભૂમિકા અદા કરી હતી. વિવેકાનંદ વિદ્યાલય, વડનગરની પરંપરા મુજબ, દર વર્ષે અન્ય શાળાના શિક્ષક કે આચાર્યનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે વડનગર પ્રાથમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલ અને રતનપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પટેલનું સન્માન કરાયું. શાળાના આચાર્ય કલ્પેશભાઈ અખાણીએ તમામ બાલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શિક્ષકોના પ્રસંગો રજૂ કર્યા અને જણાવ્યું કે શિક્ષકનો વ્યવસાય આંગળી ચીંધ્યાના પુણ્ય સમાન છે. સ્વયં શિક્ષક દિનના આચાર્ય બનેલા કૃપાબેન ભીલે પોતાના અનુભવો રજૂ કર્યા. વૈભવીબેન પ્રજાપતિએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો. વડનગર પ્રાથમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલે જણાવ્યું કે ધોરણ 1માં પ્રવેશ મેળવેલા તેમના વિદ્યાર્થીઓ હાલ 9 અને 10માં ધોરણમાં છે, તેમની સામે સન્માન સ્વીકારતા તેમને ખૂબ આનંદ અને ગર્વ થાય છે. રતનપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિએ સન્માન મેળવવા બદલ શાળા પરિવારનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. શાળાના સિનિયર શિક્ષક રાજેશભાઈ રાજદેવે આભાર વિધિ કરી હતી.
Read full article on Divya Bhaskar