Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બેંગકોકમાં 28 કલાકથી 200 ભારતીયો ફસાયેલા:એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી આવી, ન તો ફ્લાઇટ રદ કરી અને ન તો રિફંડ આપ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 3 views
બેંગકોકમાં 28 કલાકથી 200 ભારતીયો ફસાયેલા:એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી આવી, ન તો ફ્લાઇટ રદ કરી અને ન તો રિફંડ આપ્યું
થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એરપોર્ટ પર ભારતના 200 લોકો ગુરુવાર સાંજથી ફસાયેલા છે. તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટથી ભારત પરત ફરી રહ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રનવે પરથી પાછી આવી ગઈ. યાત્રીઓનું કહેવું છે કે એર ઇન્ડિયાએ ન તો ફ્લાઇટ રદ કરી અને ન તો રિફંડ આપ્યું. એર ઇન્ડિયાએ શુક્રવારે સાંજે 7.15 વાગ્યે ફ્લાઇટ રવાના થવાની વાત કહી હતી. રાત્રે 8 વાગ્યા સુધી ફ્લાઇટ ઉડી ન હતી. જોકે, બોર્ડિંગ શરૂ થઈ ગઈ છે. આ પહેલા કેટલાક યાત્રીઓ બીજી ફ્લાઇટથી ભારત પરત ફર્યા છે. સાંજે 4 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા યાત્રીઓ મુસાફરોએ જણાવ્યું કે ગુરુવારે સાંજે 4 વાગ્યે જ એરપોર્ટ પહોંચ્યા હતા. 28 કલાકથી માત્ર રાહ જ જોઈ રહ્યા છીએ, પરંતુ કોઈ બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. એર ઇન્ડિયાના કોઈ પણ અધિકારીએ વાત કરી નથી. મુસાફરોએ જણાવ્યું કે શુક્રવારે અમે માત્ર ચેક ઇન અને ચેક આઉટ જ કર્યું. નાના બાળકો અને મહિલાઓ પણ છે. ક્યારેક એરપોર્ટ તો ક્યારેક હોટલમાં મોકલી રહ્યા છે ઇન્દોરની દિવ્યા માહેશ્વરીએ જણાવ્યું કે તે થાઇલેન્ડ ફરવા આવી હતી. બેંગકોકથી દિલ્હી પાછા ફરવા માટે ગુરુવારે સાંજે 5.30 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી. સાંજે 6 વાગ્યે બોર્ડિંગ કર્યું અને 6.15 વાગ્યે રન-વે પર આવી ગયા. બધા પેસેન્જર ફ્લાઇટ સનસેટનો વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારે થોડી જ વારમાં ફ્લાઇટ પાછી રનવે પર પહોંચી. મુસાફરોએ જણાવ્યું કે કેબિનની લાઇટ ચાલુ થઈ તો ક્રૂ મેમ્બર્સને પૂછ્યું કે શું થયું? તેમણે ટેકનિકલ ખામીનો હવાલો આપ્યો. ગુરુવારે રાત્રે 8.30 વાગ્યા સુધી ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી મુસાફરોને જાણ કરવામાં આવી કે રાત્રે 11.15 વાગ્યે ફ્લાઇટ ઉડાન ભરશે. થોડી વાર પછી ફ્લાઇટ બીજા દિવસ સુધી રદ રહેશે તેવી વાત કહેવામાં આવી. રાત્રે 12 વાગ્યાની હોટલની વ્યવસ્થા એર ઇન્ડિયાએ જ હોટલની વ્યવસ્થા કરી. જ્યાં રાત્રે 12 વાગ્યે પહોંચ્યા. ત્યારબાદ શુક્રવારે સાંજે 5.30 વાગ્યે ફ્લાઇટ હોવાની વાત કહેવામાં આવી. બપોરે 1.30 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા. ત્રણ-ચાર કલાક રાહ જોયા પછી કહેવામાં આવ્યું કે સાંજે 7.15 વાગ્યે ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે, 7.15 વાગ્યે ફ્લાઇટે ઉડાન ભરી નહીં. રાત્રે 8 વાગ્યે બોર્ડિંગ શરૂ થઈ. કેટલાક મુસાફરો બીજી ફ્લાઇટથી ભારત પાછા ફર્યા. એર ઇન્ડિયાએ કહ્યું- ઓપરેશનલ કારણોસર શેડ્યૂલ બદલાયું એર ઇન્ડિયાએ મુસાફરોને મોકલેલા ઈ-મેલમાં જણાવ્યું કે બેંગકોકથી નવી દિલ્હી જતી ફ્લાઇટ AI4335નું શેડ્યૂલ ઓપરેશનલ કારણોસર બદલ્યું છે. તેમાં ટેકનિકલ ખામીનો ઉલ્લેખ કર્યો ન હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan