Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 3 views
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

By election 2026 dates: ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાલી પડેલી 6 મહત્વપૂર્ણ બેઠકો માટે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીમાં આસામની નાગાંવ લોકસભા બેઠક ઉપરાંત પાંચ અલગ-અલગ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ અનુસાર, તમામ 6 બેઠકો પર આગામી 6 ઓક્ટોબર, 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 9 ઓક્ટોબર, 2026 ના રોજ મતગણતરી પૂર્ણ કરી પરિણામો જાહેર કરવામાં આવશે. સંબંધિત જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદોના રાજીનામાને કારણે આ બેઠકો ખાલી પડી હતી, જેના પગલે હવે ત્યાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આ પેટાચૂંટણીમાં સૌથી મોટો રાજકીય ગરમાવો પશ્ચિમ બંગાળની હાઈ-પ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા બેઠકને લઈને જોવા મળી રહ્યો છે. વર્ષ 2021 ની સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠક પર ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે પરાજિત થયા હતા. ત્યારબાદ 2026 ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ અધિકારી ભવાનીપુર અને નંદીગ્રામ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર તેમણે ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે, બે બેઠકો જીત્યા બાદ તેમણે પોતાની પરંપરાગત નંદીગ્રામ બેઠક પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. હવે નંદીગ્રામ બેઠક ખાલી પડતાં જ રાજ્યના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે કે શું મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જૂના પરાજયનો બદલો લેવા માટે ફરીથી નંદીગ્રામના ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

આ ઉપરાંત, પશ્ચિમ બંગાળની રેજીનગર વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. રેજીનગરથી ચૂંટાયેલા હુમાયુ કબીરે નાઓડા બેઠક પરથી પણ વિજય મેળવ્યો હતો, જેથી તેમણે પાછળથી રેજીનગર બેઠક પરથી રાજીનામું આપતાં આ પેટાચૂંટણી આવી પડી છે. આસામની નાગાંવ સંસદીય બેઠકની વાત કરીએ તો, પૂર્વ સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના લીધે આ લોકસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરાઈ છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યની મદુરંતકમ બેઠકના ધારાસભ્ય મરાગથમ કુમારવેલ અને ધારાપુરમ બેઠકના ધારાસભ્ય પી. સત્યભામાના રાજીનામાને કારણે ત્યાં ચૂંટણી યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં થટ્ટનચાવડી બેઠકના ધારાસભ્ય એન. રંગાસામીએ પદ છોડતાં ચૂંટણી પંચે આ બેઠક માટે પણ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે.

પેટાચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક:

ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ: 9 સપ્ટેમ્બર, 2026

ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ: 16 સપ્ટેમ્બર, 2026

ઉમેદવારી પત્રોની ચકાસણી: 17 સપ્ટેમ્બર, 2026

ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર, 2026

મતદાનની તારીખ: 6 ઓક્ટોબર, 2026

મતગણતરીની તારીખ: 9 ઓક્ટોબર, 2026

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ: 11 ઓક્ટોબર, 2026

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan