Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બંધુઆ મજૂરી અને પોલીસ અત્યાચાર સામે માનવ અધિકાર પંચ લાલઘૂમ:73થી વધુ કેસોની સુનાવણી, પાયલ ગોટી કેસમાં વળતરનો આદેશ અને દોષિત પોલીસકર્મીઓ સસ્પેન્ડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 3 views
બંધુઆ મજૂરી અને પોલીસ અત્યાચાર સામે માનવ અધિકાર પંચ લાલઘૂમ:73થી વધુ કેસોની સુનાવણી, પાયલ ગોટી કેસમાં વળતરનો આદેશ અને દોષિત પોલીસકર્મીઓ સસ્પેન્ડ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) દ્વારા ગાંધીનગર ખાતે બે દિવસીય ફુલ કમિશન કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં માનવ અધિકારોના ઉલ્લંઘન સાથે જોડાયેલા અનેક સંવેદનશીલ અને ગંભીર કેસોની તલસ્પર્શી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંચના ચેરપર્સન જસ્ટિસ વી. રામસુબ્રમણિયન, સભ્ય જસ્ટિસ બિદ્યુત રંજન સારંગી અને સભ્ય વિજયા ભારતી સયાનીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બંધુઆ મજૂરી, પોલીસ બેદરકારી, ઔદ્યોગિક હોનારતો, મહિલા-બાળ સુરક્ષા, અનુસૂચિત જાતિને જમીન ફાળવણી તેમજ ભાવનગરના ઝેરી દારૂકાંડ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પાસેથી કડક જવાબ માંગવામાં આવ્યો હતો. આ બે દિવસ દરમિયાન વિવિધ સુનાવણીઓ મારફતે મોટાભાગના કેસોનો નિકાલ કરવાની સાથે પીડિતોને કરોડો રૂપિયાની આર્થિક સહાય સુનિશ્ચિત કરવામાં આવી હતી. બે દિવસમાં ડઝનબંધ કેસોનો નિકાલ અને કરોડોનું વળતર ચૂકવાયું કેમ્પ સિટિંગના પ્રથમ દિવસે પંચ સમક્ષ કુલ 45 જેટલા મહત્વપૂર્ણ કેસો સુનાવણી હેઠળ આવ્યા હતા, જેમાંથી બંને પક્ષોની રજૂઆતો અને સરકારી અહેવાલોની ઝીણવટભરી ચકાસણી બાદ 27 કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ સુનાવણી દરમિયાન વિવિધ ગંભીર બનાવોમાં પીડિતો અને તેમના આશ્રિત પરિવારોને સરકારી તંત્ર દ્વારા કુલ ₹3.50 કરોડથી વધુની વળતર રકમ ચૂકવાઈ હોવાના સત્તાવાર દસ્તાવેજી પુરાવા પંચ સમક્ષ રજૂ કરાયા હતા. ત્યારબાદ બીજા દિવસે ડિવિઝન બેન્ચે અન્ય 57 કેસો સાંભળીને તેમાંથી 46 કેસોનું નિરાકરણ લાવ્યું હતું. પાયલ ગોટી કેસમાં વળતર અને દોષિત પોલીસકર્મીઓ સામે લાલ આંખ ચકચારી પાયલ ગોટી કેસ અંગે સત્તાવાર માહિતી આપતાં પંચના સભ્ય જસ્ટિસ બિદ્યુત રંજન સારંગીએ જણાવ્યું હતું કે આ કેસમાં પીડિતાને યોગ્ય આર્થિક વળતર ચૂકવવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે. ખાતાકીય તપાસમાં દોષિત ઠરેલા પોલીસ કર્મચારીઓ સામે કડક શિસ્તભંગનાં પગલાં ભરીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે નિર્દેશ કર્યો હતો કે આ મામલે કોર્ટ સમક્ષ કાયદા અનુસાર આગળની ફોજદારી અને ન્યાયિક કાર્યવાહી પણ હાથ ધરાશે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક ખાખી વર્દીની જોહુકમીનો ભોગ ન બને. અનુસૂચિત જાતિને ફાળવેલી જમીનનો કબજો આપવા રાજ્ય સરકારને તાકીદ સુનાવણી દરમિયાન પંચ સમક્ષ એવી ગંભીર રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકારી યોજના હેઠળ જમીનો ફાળવી દેવાઈ હોવા છતાં લાંબા સમયથી તેનો વાસ્તવિક અને ભૌતિક કબજો સોંપવામાં આવ્યો નથી. આ પછાત વર્ગના હકોનું સીધું હનન હોવાનું નોંધીને પંચે રાજ્ય સરકાર અને મહેસૂલ તંત્રને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરી તમામ લાભાર્થીઓને જમીનનો પ્રત્યક્ષ કબજો અપાવવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. બંધુઆ મજૂરી નિવારણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઘડાશે બીજા દિવસે ચેરપર્સન સમક્ષ બંધુઆ મજૂરી સંબંધિત 27 જેટલા સંવેદનશીલ કેસોની સુનાવણી થઈ હતી. શ્રમ વિભાગ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સની ઉપસ્થિતિમાં પંચે મોસમી ઉદ્યોગો, ઈંટના ભઠ્ઠા અને સ્થળાંતરિત મજૂરોનું થતું શોષણ રોકવા ઝડપી પગલાં લેવા તાકીદ કરી હતી. આવી ફરિયાદો સામે તાત્કાલિક બચાવ અને પુનર્વસન કામગીરી થઈ શકે તે માટે ચોક્કસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા અને વહીવટી તંત્રની જવાબદારી સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પોલીસ સ્ટેશનોમાં CCTV બંધ રહેવા અને FIRમાં વિલંબ સામે રોષ માનવ અધિકાર સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સાથેની સીધી વાતચીતમાં પોલીસ વિભાગની અણછાજતી કાર્યશૈલી સામે ઉગ્ર ફરિયાદો ઉઠી હતી. જેમાં ગુનાની સમયસર એફઆઇઆર ન નોંધવી, પોલીસ મથકોમાં જાણીજોઈને સીસીટીવી કેમેરા બંધ રાખવા, સત્તાનો ખુલ્લો દુરુપયોગ કરવો તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને પછાત વર્ગો સાથે અપમાનજનક વર્તન કરવા જેવી બાબતો મુખ્ય રહી હતી. પંચે સ્પષ્ટ કર્યું હતું કે, માત્ર કાગળ પર નિયમો બનાવવા કરતાં તેનો અમલ અને અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવી લોકશાહીમાં સૌથી મહત્વપૂર્ણ છે. ઔદ્યોગિક અકસ્માતો અને હોર્ડિંગ દુર્ઘટનામાં વળતરની સમીક્ષા ઔદ્યોગિક ક્ષેત્રે સલામતીના અભાવે થતા મોતના કિસ્સાઓમાં ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટથી પાંચ શ્રમિકોના મોત તેમજ દહેજમાં ઝેરી ગેસ ગળતરથી ચાર શ્રમિકોના મોતના મામલે પરિવારોને વળતર મળી ચૂક્યાની પંચે નોંધ લીધી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ભારેખમ જાહેરાતનું હોર્ડિંગ ધરાશાયી થતાં ત્રણ નિર્દોષ નાગરિકોના મોતના કેસમાં ગુનેગારો સામે ફોજદારી રાહે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સરકાર પક્ષે જણાવાયું હતું. ભાવનગર ઝેરી દારૂકાંડ મુદ્દે મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ ભાવનગર જિલ્લામાં નકલી દારૂના સેવનથી 9 નિર્દોષ લોકોના મોત અને 39 લોકોની હાલત ગંભીર બનવાના મામલાની NHRC દ્વારા સુઓમોટો નોંધ લેવામાં આવી છે. પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને તાકીદે નોટિસ પાઠવી બે અઠવાડિયાની અંદર સમગ્ર ઘટનાનો વિસ્તૃત તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ અહેવાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની સ્થિતિ, દોષિતો સામે ખાતાકીય પગલાં, અસરગ્રસ્ત પરિવારોને અપાયેલી આર્થિક-તબીબી રાહત તેમજ ભવિષ્યમાં આવી દારૂબંધીના ઉલ્લંઘનની ઘટનાઓ રોકવા માટેના લાંબાગાળાના એકશન પ્લાનની વિગતો માંગવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan