politics
વઢવાણ વોરા મસ્જિદમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો:જનાબ અમીલસાહેબના હસ્તે ધ્વજવંદન કરાયું, રેલી પણ યોજાઈ
વઢવાણ શહેરની વોરા મસ્જિદ ખાતે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જનાબ અમીલસાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલની અધ્યક્ષતામાં વઢવાણના વોર્ડ નંબર ૧૨માં વોરા બેન્ડ સાથે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન વનરાજસિંહ સોલંકી, કોર્પોરેટર હરપાલસિંહ લીંબડ, કોર્પોરેટર મતી નેહલબેન રાજેશભાઈ હળવદીયા (માળી), રાજેશભાઈ હળવદીયા, સિરાજભાઈ કિરાણાવાલા, જમાત સેક્રેટરી દરુગર સૈફુદ્દીનભાઈ, જમુસ્તાનભાઈ માતના સભ્ય મુફદ્દલભાઈ, હકીમુદ્દીનભાઈ અને અલીહુસેનભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવને સમર્પિત આ પાવન પર્વ નિમિત્તે સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
Read full article on Divya Bhaskar