top
ભરૂચ નજીક એક્સપ્રેસવે પર ચાર વાહન વચ્ચે અકસ્માત, 30 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટના આમોદ તાલુકાના માતર ટોલટેક્સ નજીક બની હતી. જેને પગલે વડોદરાથી માતર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને અંદાજે 30 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. ઉલ્લેખનીય છે કે સુરતથી રાજકોટ તરફ પીકઅપ વાહન લઈને જઈ રહેલા રોહિતભાઈ ગોરાભાઈ લેલા નામના વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા છે. ટ્રાફિકજામમાં ઉભેલી પીકઅપને એક લક્ઝરી બસે અડફેટે લેતા અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. જેમાં પીકઅપ ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવને પગલે આમોદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati