crime
છોટા ઉદેપુરમાં સર્જાઇ શકે ગંભીરા બ્રિજ જેવી ઘટના: પ્રતિબંધ છતાં ઓરસંગ બ્રિજ પર 30 ટનથી વધુ વજનના વાહનોની અવરજવર
છોટાઉદેપુરમાં NH-56 પર ઓરસંગ નદીના બ્રિજ પર મોટા ખાડા પડતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મધ્યપ્રદેશને જોડતા આ પુલ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. ખાડાઓને લીધે વાહનોને નુકસાન થવા સાથે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. 30 ટનથી વધુ વજનના વાહનો પર પ્રતિબંધ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ અને નિયમોના કડક અમલની માંગ કરી છે.
Read full article on Gujaratsamachar