Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ:ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક સેવા કાર્યોની કરી મુક્તકંઠે પ્રશંસા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ:ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક સેવા કાર્યોની કરી મુક્તકંઠે પ્રશંસા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સી સ્થિત રોબિન્સવિલે ખાતે નિર્માણ પામેલા ભવ્ય બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરની વિશેષ મુલાકાત લીધી હતી. 'વાઇબ્રન્ટ ગુજરાત' વૈશ્વિક સમિટના પ્રચાર-પ્રસાર અર્થે અમેરિકાના પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રીએ અક્ષરધામ દ્વારા રજૂ કરાયેલી ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત, સામાજિક ઉત્થાનના કાર્યો અને સ્વયંસેવકોના અસાધારણ સમર્પણની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. લગભગ 30 વર્ષ બાદ ગુજરાતના કોઈ મુખ્યમંત્રીની આ પ્રથમ અમેરિકા યાત્રા દરમિયાન સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતો પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીએ પુષ્પહાર પહેરાવી મુખ્યમંત્રી અને રાજ્યના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નિર્માણાધીન અક્ષરધામ મ્યુઝિયમની મુલાકાત અને સાંસ્કૃતિક વારસાની સરાહના મુખ્યમંત્રીએ પરિસરમાં હાલ આકાર લઈ રહેલા ઐતિહાસિક અક્ષરધામ મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા. અમેરિકામાં નિર્માણ પામનારા પ્રથમ હિન્દુ મ્યુઝિયમ પૈકીના આ ભવ્ય પ્રોજેક્ટમાં ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતી 12 સ્થાપત્ય પ્રતિકૃતિઓ, 40 મલ્ટીમીડિયા શો, 85 ડાયોરામા અને 200 જેટલી કલાત્મક પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ મ્યુઝિયમને એક અનોખું વૈશ્વિક સીમાચિહ્ન ગણાવતાં જણાવ્યું હતું કે તે વિશ્વભરના લોકોને કરુણા, પારિવારિક મૂલ્યો અને નિઃસ્વાર્થ સેવાના શાશ્વત સિદ્ધાંતો સાથે જોડશે. સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મંદિરની સૂક્ષ્મ કોતરણી અને શાંત આધ્યાત્મિક વાતાવરણ જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમણે ભારતની પ્રાચીન વિરાસતને વિદેશની ધરતી પર પુનઃ જીવંત કરવા બદલ સંતો-સ્વયંસેવકોનો આભાર માન્યો હતો. સ્વયંસેવકોના સમર્પણની સરાહના અને વૈશ્વિક પ્રતિનિધિઓ સાથે સંવાદ મુખ્યમંત્રીએ અક્ષરધામના નિર્માણ અને સંચાલનમાં નિઃસ્વાર્થ ભાવે જોડાયેલા હજારો સ્વયંસેવકો સાથે સીધો સંવાદ સાધી તેમની શિસ્ત, નમ્રતા અને આતિથ્ય સત્કારની ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સેવાભાવ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. મુખ્યમંત્રીની આ યાત્રા દરમિયાન અમેરિકાભરમાંથી આવેલા ડેલિગેટ્સ અને ભારતીય સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંતમાં ઉમેર્યું હતું કે 'વાઇબ્રન્ટ ગુજરાત' ની જેમ જ અક્ષરધામ ખાતે ભારતીય સંસ્કૃતિ પણ પૂર્ણપણે 'વાઇબ્રન્ટ' સ્વરૂપે જોવા મળે છે, જે વૈશ્વિક સ્તરે શિક્ષણ, આરોગ્ય, રાહત કાર્યો અને યુવા વિકાસ દ્વારા માનવજાતની અવિરત સેવા કરી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan