politics
Controversy: 'ખાય છે આ દેશનું... પણ લડે છે પાડોશી દેશ માટે', નસીરુદ્દીન શાહ પર કંગનાએ કર્યો પલટવાર
બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ વચ્ચે હાલ આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. ત્યારે કંગનાએ અભિનેતાના એ નિવેદન પર પલટવાર કર્યો છે કે, જેમા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે બોલિવૂડના મુખ્ય સ્ટાર્સના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.. શાહે કોમેન્ટ કરી હતી કે બોલીવુડના અગ્રણી ચહેરાઓ હવે ચૂપ હોઈ શકે છે, પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ બોલશે. આ ટિપ્પણીનો તીખો જવાબ આપતા કંગનાએ શાહની દેશભક્તિ અને ઇરાદા પર સીધો પ્રશ્ન ઉઠાવ્યો. તાજેતરમાં, એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે પૂછ્યું કે ઝારખંડમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર તેઓ કેમ ચૂપ છે અને તેઓ આ બાબતે પોતાનો અભિપ્રાય કેમ વ્યક્ત નથી કરી રહ્યા. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં પિયુષ મિશ્રાનો સમાવેશ થાય છે, જેમણે શાહની ટિપ્પણીઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ વાતચીત દરમિયાન કંગનાએ નસીરુદ્દીન શાહ પર આકરા પ્રહારો કર્યા, તેમને "શિયાળ" પણ કહ્યા. કંગના રનૌતનો વળતો જવાબ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં, કંગનાએ સ્પષ્ટપણે કહ્યું કે સત્ય એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ પ્રત્યે વફાદાર હોય છે. તેણે લખ્યું, "સત્ય એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈનો કૂતરો હોય છે, પરંતુ મને ગર્વ છે કે હું જે ઘર (દેશ) ની રોટલી ખાઉં છું તેની રક્ષા કરું છું અને તેના માટે લડું છું. જોકે, નસીર સાહેબ આ દેશની રોટલી ખાય છે છતાં પાડોશી દેશ માટે લડે છે. આજના સમયમાં કૂતરો કહેવાવું એ પ્રશંસાથી ઓછું નથી, કારણ કે સુંદરતા અને વફાદારી બંને એકસાથે મળવી દુર્લભ છે. હું નસીરુદ્દીન જેવા 'શિયાળ' કહેવા કરતાં કૂતરો કહેવાનું પસંદ કરીશ." પોતાના મુદ્દાને વધુ વિગતવાર જણાવતા, તેણે ઉમેર્યું કે આજકાલ કોઈને કૂતરો કહેવું એ મૂળભૂત રીતે પ્રશંસા છે, કારણ કે આજકાલ વફાદારી અને નિર્દોષતા કેટલી ઓછી જોવા મળે છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે નસીરુદ્દીન શાહ જેવા 'શિયાળ' કરતાં વફાદાર કૂતરો બનવાનું વધુ પસંદ કરશે. નસીરુદ્દીન શાહે બોલિવૂડના મૌન વિશે શું કહ્યું? નોંધનીય છે કે, આખો વિવાદ થોડા દિવસો પહેલા શરૂ થયો હતો જ્યારે નસીરુદ્દીન શાહે નવી દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' ના વિરોધ પ્રદર્શન અંગે બોલિવૂડ કલાકારોના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. 'એક ઈન્ટરવ્યુમાં શાહે ફિલ્મ ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓ પર કટાક્ષ કર્યો, તેમની સરખામણી મોંમાં હાડકું રાખતા કૂતરા સાથે કરી. તેમણે ટિપ્પણી કરી, "તેઓ ત્યારે જ બોલશે જ્યારે તેમનો અંતરાત્મા પરવાનગી આપશે. એક જૂની કહેવત છે કે મોંમાં હાડકું હોય તો તે કૂતરો ભસી શકતો નથી. જે ક્ષણે તેમના મોંમાંથી હાડકું પડી જાય છે અથવા તેનાથી તેમના દાંત તૂટી જાય છે તો તે તરત જ ભસવાનું શરૂ કરી દે છે." નસીરુદ્દીન શાહે આપી વધુ એક પ્રતિક્રિયા ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે લોકો બીજાના મૌનનો લાભ લઈ રહ્યા છે અને જાણી જોઈને પોતાના અંતરાત્માની અંદર ચાલતી વાતને દબાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે શાહે જવાબ આપ્યો, "ચોક્કસ, આવું જ થઈ રહ્યું છે." જોકે, તેમણે ઉમેર્યું, "પરંતુ પ્રશ્ન એ છે: તેઓ ક્યાં સુધી આવું કરી શકશે? સમય જ કહેશે." આ નિવેદન પછી, તેમની અને કંગના વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. આ પણ વાંચો: Atif Aslam: ભારતમાં 10 વર્ષથી પ્રતિબંધ... પાકિસ્તાની સિંગરે તોડ્યું મૌન અને કહ્યું- પ્રતિબંધ લગાવનારાઓનો...
Read full article on Sandesh