Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Couple Controversy : અંતર વધારવા માટે આરોપો કેમ? સુનિતા આહુજાના નિવેદન પર ગોવિંદાનો સણસણતો જવાબ!

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
Couple Controversy : અંતર વધારવા માટે આરોપો કેમ? સુનિતા આહુજાના નિવેદન પર ગોવિંદાનો સણસણતો જવાબ!
ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવે રિયાલિટી શોની સ્ટાર બની ચૂકેલી સુનીતા આહુજા પોતાના સુપરસ્ટાર પતિના અફેર વિશે વારંવાર ઈશારામાં વાત કરતી જોવા મળે છે. ગોવિંદા અને લગ્નજીવનની બહાર તેમના સંબંધોને લઈને સુનીતાના બેફામ નિવેદનો અને આરોપોએ ઘણી ચર્ચા જગાવી છે. તાજેતરમાં તેઓ લોકઅપ 2માં જોવા મળ્યા હતા, જ્યાં ગોવિંદા પણ તેમના માટે શોમાં પહોંચ્યા હતા. હવે એક તાજા ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ સુનીતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિશે વાત કરી છે. સુનીતાના આરોપો પર ગોવિંદાએ આપ્યો જવાબ ગોવિંદાએ સુનીતા આહુજાના તે તમામ આરોપો પર પણ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે અભિનેતા પર અનેક લગ્નેતર સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેતાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈની છબી ખરાબ કરવી યોગ્ય નથી. સાથે જ તેમણે કહ્યું કે તેઓ સુનીતાની વાતોને પણ તેમના પ્રેમ વ્યક્ત કરવાની એક રીત તરીકે જુએ છે. ગોવિંદાએ આરોપો પર તોડ્યું મૌન એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું, તે મને પ્રેમથી ગાળો આપે છે અને હું સહન કરી લઉં છું. મને લાગે છે કે જે વ્યક્તિ જ્યાં છે, તે પોતાના વ્યક્તિત્વ સાથે ભગવાને તેને જે રીતે બનાવ્યો છે તે પ્રમાણે છે. જો તે અમારી સાથે ન હોત તો અમને સફળતા ન મળત. અમે આવા બની જ ન શકત. અમારા ઘર-પરિવારના ઘણા બાળકો હવે મોટા થઈ ગયા છે, તેમના પર પણ તેનો અધિકાર છે. તે તેમના માટે પણ ખૂબ જ દયાળુ છે. આરોપ લગાવવો જરૂરી છે શું? આ પછી તેમણે આવા નિવેદનો પર સવાલ પણ ઉઠાવ્યો. ગોવિંદાએ કહ્યું, ઘણી એવી વાતો છે જે જાહેર કરવામાં આવતી નથી અને શબ્દોમાં પણ ક્યારેય કહી શકાતી નથી. જો હું બહારથી આ બધી બાબતોનો થોડો પરિચય કરાવું તો, અંતર જાળવવા માટે આરોપ લગાવવો જરૂરી છે શું? માણસ તેને બચવાનો રસ્તો માને છે. સફળતા માટે બદનામી જરૂરી છે શું? ક્યારેક તે થોડું સરળ બની જાય છે. સુનીતા ચાર વખાણ કરે કે પછી એક ખરાબ વાત કરી દે, મને તેમાં પ્રેમ વધારે દેખાય છે. લોકઅપ 2માં પહોંચ્યા હતા ગોવિંદા ગોવિંદા લોકઅપ 2ના શરૂઆતના એપિસોડમાં જોવા મળ્યા હતા. શોમાં તેમણે સુનીતાના એ નિવેદન પર પણ મજાક કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો તેમને તક મળે તો તેઓ ગોવિંદાની છાતીમાં ગોળી મારી દે. હકીકતમાં, વર્ષ 2024માં ગોવિંદાએ ભૂલથી પોતાના પગમાં ગોળી મારી લીધી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે સુનીતા મુંબઈમાં નહોતી. શિલ્પા શેટ્ટી ગોવિંદાને મળવા હોસ્પિટલ પહોંચી હતી અને તેમણે સુનીતા વિશે પૂછ્યું હતું. ગોવિંદાએ જણાવ્યું હતું કે તેઓ મંદિરે ગયા હતા. આ સાંભળીને શિલ્પા શેટ્ટીએ મજાકમાં પૂછ્યું હતું, તો ગોળી કોણે મારી? ગોવિંદાથી અલગ રહે છે સુનીતા આ જ સંદર્ભમાં સુનીતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ગોવિંદાએ અધૂરી વાત કહી હતી. મેં શિલ્પાને કહ્યું હતું કે જો મેં ટ્રિગર દબાવ્યું હોત તો હું તેની છાતીમાં ગોળી મારત, પગમાં નહીં. જો કંઈ કરવું હોય તો બરાબર કરો, નહીં તો ન કરો. ગોવિંદાએ લોકઅપમાં સુનીતાના આ નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી. આ પહેલાં સુનીતા એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરી ચૂકી છે કે તેઓ ગોવિંદા સાથે રહેતા નથી. તેમણે જણાવ્યું હતું કે તેમનું પોતાનું અલગ એપાર્ટમેન્ટ છે, જ્યાં તેઓ પોતાની દીકરી ટીના અને પુત્ર યશવર્ધન સાથે રહે છે. આ પણ વાંચો-Govindaએ સંભળાવ્યો જીવનનો સૌથી દર્દનાક કિસ્સો, માતાના નિધન બાદ નર્મદામાં કૂદી જવાનો લીધો હતો નિર્ણય!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan