Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

📰 Abp News 🕐 1 min read 📅 September 4, 2026 👁 2 views
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

Delhi News: નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલાના આરોપી સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે શુક્રવાર, 4 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી સ્વતંત્ર ભારદ્વાજને અટકાયતમાં લીધો હતો. ત્યારબાદ તેને બુલંદશહરના ચોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સ્વતંત્ર ભારદ્વાજે એક પોડકાસ્ટ દરમિયાન સંજય કુમાર પર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ CJP, કોંગ્રેસ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના નેતાઓ અને કાર્યકરો સક્રિય થયા હતા.

આ પણ વાંચો...અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'

CJP તરફથી આશુતોષ રાંકા અને સૌરવ દાસ, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના વિનોદ જાખડ, નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદ સહિત અનેક નેતાઓ અને કાર્યકરો દિલ્હી સ્થિત સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે સ્વતંત્ર ભારદ્વાજ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દિલ્હી પોલીસ સાથે 2 કલાક સુધી થઈ ચર્ચા

નેતાઓ અને દિલ્હી પોલીસના અધિકારીઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ ભારદ્વાજ સામે SC-ST Act હેઠળ કેસ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ સંજય કુમારનું ફરીથી મેડિકલ કરાવવાની વાત પણ કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટના આધારે કેસમાં હત્યાના પ્રયાસ એટલે કે Attempt to Murderની કલમ ઉમેરવામાં આવી શકે છે. પોલીસે અગાઉ કહ્યું હતું કે આગામી 72 કલાકમાં ભારદ્વાજની ધરપકડ કરવામાં આવશે. હવે પોલીસે તેને બુલંદશહરમાંથી અટકાયતમાં લીધો છે.

CJP સંસ્થાપક અભિજીત દીપકે શું કહ્યું?

આ મામલે CJPના સંસ્થાપક અભિજીત દીપકે કહ્યું કે દિલ્હી પોલીસે આખરે આરોપી સામે FIR નોંધવાની કાર્યવાહી કરી છે અને તેને 72 કલાકની અંદર ધરપકડ કરવાની વાત કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે પોલીસ સામે થયેલા હેટ ક્રાઇમના મામલે FIR નોંધવામાં 2 મહિના અને એક વિરોધ પ્રદર્શનનો સમય લાગી ગયો. સૌરવ દાસે પણ પોલીસને યોગ્ય કાર્યવાહી માટે ટાઈમલાઈન આપી હતી. તેમણે કહ્યું હતું કે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાંજે ફરીથી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર મામલો 23 જૂનની ઘટનાથી શરૂ થયો હતો. CJPના આંદોલનના શરૂઆતના તબક્કામાં સંજય કુમારને ઈજા થઈ હતી. તેમની પુત્રી નિશુ આઝાદનો દાવો છે કે આ ઘટનાને લઈને FIR નોંધાવવામાં આવી હતી, પરંતુ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો નહોતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેસમાં ઈરાદાપૂર્વક હળવી કલમો લગાવવામાં આવી હતી.

3 સપ્ટેમ્બરે સ્વતંત્ર ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં તે નિશુ આઝાદના પિતા સંજય કુમારને કડાથી માર મારવાનો, તેમને 60 ટાંકા આવ્યા હોવાનો અને એક ફોન કોલ બાદ જેલમાંથી બહાર આવવાનો દાવો કરતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ CJP અને અન્ય રાજકીય પક્ષોએ પોલીસ કાર્યવાહી માટે દબાણ વધાર્યું હતું.

વીડિયો વાયરલ થયા બાદ નિશુ આઝાદે પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને તેમને માત્ર રાહુલ ગાંધી પાસેથી જ ન્યાયની આશા છે.

વાયરલ વીડિયોમાં ભારદ્વાજે ભાજપના નેતા અને દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રા તેમજ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે ભારદ્વાજને સત્તાનું રક્ષણ મળી રહ્યું છે.

ભારદ્વાજે પોતાની સફાઈમાં શું કહ્યું?

મામલો ગરમાયા બાદ સ્વતંત્ર ભારદ્વાજે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તેણે સંજય કુમાર પર સેલ્ફ ડિફેન્સમાં હુમલો કર્યો હતો. કપિલ મિશ્રા અને ચિરાગ પાસવાનનું નામ કેમ લીધું તે અંગે તેણે કહ્યું હતું કે તેણે આ વાત માત્ર મજાકમાં કહી હતી. સમાચાર એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારદ્વાજે એવું પણ કહ્યું હતું કે તે એમ કહી શકે કે રાહુલ ગાંધી અથવા ચંદ્રશેખર આઝાદ તેને જેલમાંથી છોડાવવા આવ્યા હતા.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan