top
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |
આગામી દિવસોમાં યોજાનાર ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ અંગેના અગાઉના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન લાઉડસ્પીકર વગાડવા તેમજ સરઘસ કાઢવા માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. એક કરતાં વધુ પોલીસ ઝોનમાંથી પસાર થતી ગણેશ યાત્રા માટે વિશેષ શાખામાંથી મંજૂરી લેવાની રહેશે. ઉપરાંત, ગણેશ મહોત્સવના આયોજકો અને આયોજક મંડળના તમામ સભ્યોના નામ તથા સરનામાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના રહેશે. પોલીસે POPની મૂર્તિઓ લાવનારા ભક્તોને સ્થળ પર જ વિસર્જન કરવાની અપીલ કરી છે. મહોત્સવ દરમિયાન નિયમોનું પાલન કરવા અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.