lifestyle
હિંમતનગરના ગોકુલેશ્વર મહાદેવ મંદિરે વરસાદ માટે જળાધિવાસ:ભક્તોએ 108 વખત ‘ૐ નમઃ શિવાય’ના જાપ કરી સારા વરસાદની પ્રાર્થના કરી
હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે સાંજે વરસાદ માટે મહાદેવજીનો જળાધિવાસ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વડીલો એકત્ર થયા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક ‘ૐ નમઃ શિવાય’ના 108 જાપ કર્યા હતા. સતત ‘નમઃ શિવાય’ની ધૂન સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોએ મહાદેવજીને સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. તેમણે સારા વરસાદથી જનજીવન અને ખેડૂતોને રાહત મળે તેવી ભાવના વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
Read full article on Divya Bhaskar