politics
જામજોધપુરમાં કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા:ધારાસભ્ય હેમંતભાઈ ખવાની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કર્યો
જામજોધપુર ખાતે આજે આમ આદમી પાર્ટી (AAP) ની શહેર સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક સક્રિય આગેવાનો AAP માં જોડાયા હતા. કોંગ્રેસ છોડીને AAP માં જોડાનારાઓમાં પ્રિયાબેન સાગરભાઈ સોલંકી, મિલનભાઈ મકવાણા, પ્રફુલભાઈ સીતાપરા અને અશોકભાઈ ખાંટ સહિતના અગ્રણી કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમણે AAP નો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યકરો ધારાસભ્ય હેમંતભાઈ ખવાની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તેમણે AAP ની જનહિતલક્ષી વિચારધારામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ જોડાણથી જામજોધપુર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂતી મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar