politics
જામજોધપુરના વસંતપુરમાં ગ્રામસભા યોજાઈ:જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીએ લોકોના પ્રશ્નોને સાંભળ્યા
જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીએ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભામાં હાજરી આપી હતી. આ ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી પ્રશ્નો, સ્થાનિક સુવિધાઓ અને ગ્રામજનોની વિવિધ રજૂઆતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ પંકજભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાણી, રસ્તા, સફાઈ જેવા સ્થાનિક પ્રશ્નો અને ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હતી. પ્રમુખ રંજનબેન જીવાણીએ ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા. ગામના સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar