politics
કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં યોજાઈ ડમરું આરતી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્ય ડમરું આરતીનું આયોજન કરાયું હતું. પવિત્ર શ્રાવણ માસ અને અગિયારસના શુભ અવસરે ખાસ ડમરુ આરતી યોજાઈ હતી. અમદાવાદના બાવળા ગામના 'સિદ્ધેશ્વર મહાદેવ ડમરૂ આરતી ગ્રુપ'ના યુવાનો દ્વારા મંદિર પરિસરમાં દિવ્ય અને ભવ્ય ડમરૂ આરતીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો. મહત્વનું છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જે પ્રકારે ડમરૂના તાલ સાથે આરતી કરવામાં આવે છે તે જ તર્જ પર સાળંગપુર ધામના પરિસરમાં પણ વિવિધ વાજિંત્રો અને ડમરૂના નાદ સાથે આરતી કરાઈ હતી.
Read full article on News18 Gujarati