Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી?:ગડકરીનું ખાતું બદલાઈ શકે, અશ્વિની વૈષ્ણવનું વધી શકે કદ; 17 નવા યુવા ચહેરાને સ્થાન, 2027-2029ની ચૂંટણીને ધ્યાને રાખી ઘડાશે નવી ટીમ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 2 views
મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી?:ગડકરીનું ખાતું બદલાઈ શકે, અશ્વિની વૈષ્ણવનું વધી શકે કદ; 17 નવા યુવા ચહેરાને સ્થાન, 2027-2029ની ચૂંટણીને ધ્યાને રાખી ઘડાશે નવી ટીમ
દેશની રાજધાની દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં ટૂંક સમયમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે. કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે વિસ્તરણ અને ફેરબદલને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, વહીવટી કામગીરીને ગતિ આપવા અને આગામી મહત્વની ચૂંટણીઓને સાધવા માટે કેટલાક દિગ્ગજ મંત્રીઓની રજા થઈ શકે છે, જ્યારે યુવા અને નવા ચહેરાઓને દેશની કમાન સંભાળવાની તક મળે તેવી પૂરી શક્યતા છે. ગડકરીનું મંત્રાલય બદલાશે, અશ્વિની વૈષ્ણવનું વધશે કદ આ સંભવિત ફેરબદલના સૌથી ચોંકાવનારા સમાચાર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે જોડાયેલા છે. અહેવાલો મુજબ, ગડકરીના હાલના વિભાગમાં ફેરફાર કરીને તેમને અન્ય કોઈ મહત્વનું મંત્રાલય સોંપાઈ શકે છે. બીજી તરફ, પોતાની શ્રેષ્ઠ કામગીરીથી છાપ છોડનારા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મોટું પ્રમોશન મળવાના સંકેત છે. આ ઉપરાંત કેબિનેટમાં 16થી 17 નવા ચહેરાઓને એન્ટ્રી મળી શકે છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે કેટલાક વર્તમાન મંત્રીઓએ પોતાની ખુરશી ગુમાવવી પડશે. 'ચાય પે ચર્ચા'થી તૈયાર થઈ રહી છે નવી ટીમ આ મોટા ફેરબદલની પૂર્વતૈયારીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના સાંસદો સાથે સીધો સંવાદ શરૂ કર્યો છે. સાંસદો સાથેની આ અનૌપચારિક અને વિશેષ બેઠકો પરથી રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે આગામી સમયમાં કોને કેબિનેટમાં એન્ટ્રી મળશે અને કોને સંગઠનમાં કે બહારનો રસ્તો બતાવવામાં આવશે. મંત્રીઓનો કાર્યભાર હળવો કરાશે, 12 ખાલી પદો ભરાશે હાલ મોદી સરકારના મંત્રીમંડળમાં 69 મંત્રીઓ છે, જ્યારે બંધારણીય મર્યાદા મુજબ આ સંખ્યા મહત્તમ 81 સુધી પહોંચી શકે છે. આમ, હાલમાં 12 મંત્રી પદો સંપૂર્ણપણે ખાલી છે. આ ઉપરાંત લગભગ 14 એવા કેબિનેટ મંત્રીઓ છે જેઓ એક કરતાં વધુ મંત્રાલયોનો વધારાનો પ્રભાર સંભાળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર પ્રલ્હાદ જોશી પાસે છે, જેને હવે કોઈ નવા મંત્રીને સોંપી શકાય છે. આ ફેરબદલનો મુખ્ય હેતુ મંત્રીઓનું ભારણ ઘટાડીને સરકારી કામકાજને વધુ ઝડપી બનાવવાનો છે. 2027 અને 2029નું મજબૂત ચૂંટણી ગણિત આ માત્ર વહીવટી ફેરબદલ નથી, પરંતુ ભાજપની દીર્ઘકાલીન ચૂંટણી રણનીતિનો એક મહત્વનો ભાગ છે. વર્ષ 2027માં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે પક્ષ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારબાદ 2029માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવશે. આ રાજકીય સમીકરણોને સાધવા માટે કેબિનેટમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોને મજબૂત અને નવું પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે. જન્માષ્ટમી આસપાસ થઈ શકે છે મોટો ધડાકો રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કેબિનેટના આ મહાવિસ્તારની જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં અથવા તો જન્માષ્ટમીના પર્વની આસપાસ જ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી કયા નેતાની લોટરી લાગે છે અને કોણે મંત્રીપદ ગુમાવવું પડે છે. 2014થી કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની મોદી સરકારમાં અત્યાર સુધી 4 મોટા ફેરબદલ થઈ ચૂક્યા છે. મોદી કેબિનેટમાં થયેલા ફેરબદલમાં કેટલાક ટ્રેન્ડ જોવા મળે છે... 1. પર્ફોર્મન્સ નહીં તો રજા નક્કી કોર્પોરેટ કંપનીઓની જેમ મોદી સરકારમાં પણ જો કોઈ મંત્રી અપેક્ષાઓ પર ખરો નથી ઉતરતો અથવા તેના મંત્રાલય સાથે જોડાયેલો કોઈ વિવાદ ઊભો થાય છે, તો કોઈ પણ પ્રકારના સંકોચ વગર તેની રજા કરી દેવામાં આવે છે. MeToo મામલામાં ઘેરાયેલા વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે 2018માં રાજીનામું આપ્યું હતું. 2021માં કોરોના મહામારીના મિસમેનેજમેન્ટ બાદ તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને હટાવવામાં આવ્યા હતા. આઇટી મિનિસ્ટર તરીકે રવિશંકર પ્રસાદ, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું પ્રદર્શન સારું ન હોવાને કારણે કેબિનેટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. 2. અમલદારો અને નિષ્ણાતો પર ભરોસો મોદી સરકારમાં માત્ર પરંપરાગત નેતાઓ જ મંત્રી નથી બનતા, પરંતુ જટિલ અને મહત્વના મંત્રાલયોની જવાબદારી પૂર્વ IAS, IFS ઓફિસર અથવા ડોમેન એક્સપર્ટ્સ (ટેક્નોક્રેટ્સ) ને આપે છે. જેમ કે- પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને વિદેશ મંત્રી બનાવવા, પૂર્વ IAS ઓફિસર અશ્વિની વૈષ્ણવને રેલ અને આઇટી મંત્રાલય સોંપવું, પૂર્વ IAS ઓફિસર અર્જુન રામ મેઘવાલ અને રિટાયર્ડ IFS ઓફિસર હરદીપ સિંહ પુરીને કેન્દ્રીય મંત્રી બનાવવા. 3. ચૂંટણી વાળા રાજ્યોનું એન્જિનિયરિંગ મોદી સરકારમાં એ પેટર્ન રહી છે કે દરેક કેબિનેટ ફેરબદલમાં આગામી વિધાનસભા ચૂંટણીઓના સોશિયલ અને ઇલેક્ટોરલ એન્જિનિયરિંગને સેટ કરવામાં આવે છે. જુલાઈ 2021માં મોદી કેબિનેટનો સૌથી મોટો ફેરબદલ થયો. ત્યારે ઉત્તર પ્રદેશના પંકજ ચૌધરી, અજય મિશ્રા ટેની, અનુપ્રિયા સિંહ પટેલ, એસપી સિંહ બઘેલ, ભાનુ પ્રતાપ સિંહ વર્મા, કૌશલ કિશોર; ગુજરાતના મહેન્દ્ર મુંજપારા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ જેવા નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આની પાછળ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ હતી. 4. ‘એક વ્યક્તિ, એક પદ’ની પોલિસી ભાજપ વારંવાર આ વાત દોહરાવે છે કે તેઓ ‘એક વ્યક્તિ, એક પદ’ ની નીતિ અપનાવે છે. એટલે કે કોઈ નેતા સરકાર અને સંગઠન બંનેમાં એક સાથે મોટા પદ મેળવી શકે નહીં. જેમ કે- 2014માં રાજનાથ સિંહ ગૃહમંત્રી બન્યા તો 2 મહિના પછી ભાજપ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. 2019માં જ્યારે અમિત શાહ ગૃહમંત્રી બન્યા તો તેના પછીના જ મહિને જગત પ્રકાશ નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા અને 8 મહિના પછી શાહે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. જાન્યુઆરી 2026માં જ્યારે નીતિન નબીન પાર્ટી અધ્યક્ષ બન્યા તો તેમણે બિહાર સરકારમાં મંત્રી પદ છોડવું પડ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan