Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર: ‘આ RSSની જૂની.....’

📰 Abp News 🕐 1 min read 📅 August 30, 2026 👁 5 views
મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર: ‘આ RSSની જૂની.....’

Mohan Bhagwat Muslim statement: ન્યૂ યોર્કમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત દ્વારા મુસ્લિમો અંગે આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે અને AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા સંઘની નીતિઓ પર સવાલો ઉભા કર્યા છે.

સંઘની બેવડી નીતિ અને જૂની યુક્તિ

અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે, જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમો ન હોવા જોઈએ, તો તે વ્યક્તિ હિન્દુ રહેતો નથી. આ નિવેદનનો કડક જવાબ આપતા ઓવૈસીએ સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત પોસ્ટ લખી છે. તેમણે ભાગવતના નિવેદનને "જૂની યુક્તિ" ગણાવતા કહ્યું કે, RSS દુનિયાને બતાવવા માટે કંઈક અલગ બોલે છે અને પોતાના સભ્યો માટે તેમની અસલી વિચારધારા તદ્દન જુદી હોય છે. સંઘે ક્યારેય પોતાના મુખ્ય વિચારકો અને લેખકોના લઘુમતીઓ અંગેના કટ્ટર મંતવ્યોનો ત્યાગ કર્યો નથી.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભૂમિકા અને વિચારધારા

ઓવૈસીએ ઐતિહાસિક સંદર્ભો ટાંકીને જણાવ્યું કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંઘનું કોઈ જ યોગદાન નથી. સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર અગાઉ કોંગ્રેસમાં હતા, પરંતુ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં તમામ ધર્મોને સાથે લઈને ચાલવાની નીતિનો તેમણે વિરોધ કર્યો હતો.

વર્ષ 1981 માં બેંગ્લોરના સાહિત્ય સિંધુ દ્વારા પ્રકાશિત "ડૉ. હેડગેવાર, ધ એપોક મેકર: અ બાયોગ્રાફી" ના પાના નંબર 611 નો હવાલો આપતા ઓવૈસીએ કહ્યું કે, હેડગેવારને ગાંધીજીનું હિન્દુ-મુસ્લિમ એકતાનું સૂત્ર મંજૂર નહોતું.

એમ. એસ. ગોલવલકરના પુસ્તક "શ્રી ગુરુજી સમગ્ર દર્શન" (ખંડ 1, પાના નંબર 11) નો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે સંઘ લોકશાહીની વિરોધી સંસ્થા છે.

વર્ષ 1940 માં ગોલવલકરે 'એક ધ્વજ, એક નેતા અને એક વિચારધારા' સાથે સરમુખત્યારશાહીની તરફેણ કરી હતી.

લઘુમતીઓ માટેનો ખતરો

ગુજરાતના 2002 ના રમખાણોની યાદ અપાવતા ઓવૈસીએ 21 માર્ચ 2002 ના 'હિન્દુસ્તાન ટાઇમ્સ' ના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે સંઘના પરોક્ષ શાસન હેઠળ મુસ્લિમોની સંપત્તિઓ લૂંટવામાં આવી અને પોલીસ નિષ્ક્રિય રહી હતી. ગોલવલકરના પુસ્તક "બંચ ઓફ થોર્ટ્સ" ના આધારે ઓવૈસીએ સ્પષ્ટ કર્યું કે સંઘની નજરમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ દેશ માટે અનુક્રમે પ્રથમ અને બીજો આંતરિક ખતરો છે. મુસ્લિમ નાગરિકોને હંમેશા શંકાની નજરે જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત

વર્તમાન કાયદાઓનો દુરુપયોગ

ઓવૈસીએ વર્તમાન નીતિઓ પર પ્રહાર કરતા નીચે મુજબના આક્ષેપો કર્યા:

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના નામે મુસ્લિમો પર કથિત રીતે હિન્દુ કાયદાઓ થોપવામાં આવી રહ્યા છે.

ધર્માંતરણ વિરોધી કડક કાયદાઓ થકી ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

UAPA જેવા કડક કાયદાઓનો લઘુમતીઓ સામે વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે.

અંતમાં ઓવૈસીએ મોહન ભાગવતને આહ્વાન કર્યું કે તેઓ સાવરકર, હેડગેવાર અને ગોલવલકરના લખાણો જાહેરમાં મૂકે, જેથી સામાન્ય જનતા RSS ની અસલી વિચારધારા જાતે નક્કી કરી શકે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan