politics
મોડાસામાં ભાજપ દ્વારા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમ:દેશના ભાગલાની વેદના યાદ કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોડાસામાં અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ૧૪ ઓગસ્ટના રોજ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' નિમિત્તે એક વિશેષ અભિભાષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના ભાગલા દરમિયાન વિસ્થાપનની પીડા સહન કરનાર લાખો નિર્દોષ નાગરિકોના સંઘર્ષ, વેદના અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે યોજાયો હતો. તેમાં પ્રદેશ વક્તા અને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી ડૉ. સંજયભાઈ દેસાઈ તથા જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર વિશેષ અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. વક્તાઓએ વિભાજનના કરુણ ઇતિહાસ અને એ સમયે દેશવાસીઓએ વેઠેલી યાતનાઓને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ મંડળ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, પક્ષના વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં પક્ષના ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આયોજન જિલ્લા મહામંત્રી દિપકભાઈ પટેલ, રણધીરભાઈ ચુડગર તેમજ કેતનભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar