politics
આદરિયાણામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યાત્રા:ભાજપના નેતાઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ પાટડી તાલુકાના આદરિયાણા ગામે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, પાટડી ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુખદેવભાઈ ઠાકોર, પાટડી તાલુકા પંચાયત પ્રમુખ નનુભાઈ ચાવડા સહિત ખેંગારભાઈ ડોડીયા, જેસીંગભાઇ ચાવડા, નનુભાઈ ખેર, રામભાઈ ચાવડા, વાલાભાઈ ભરવાડ, રામભાઈ રથવી, ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને તાલુકાના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન 'વંદે માતરમ' અને 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના ગગનભેદી નારાઓથી આદરિયાણાની શેરીઓ ગુંજી ઉઠી હતી. આ ભવ્ય યાત્રાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું, જેમાં સૌ કોઈએ રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
Read full article on Divya Bhaskar