top
ગુજરાત પ્રદેશ ભરવાડ યુવા સંગઠનના ઉપપ્રમુખ બન્યા જામાભાઈ ગરીયા:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરને મળી મહત્વની જવાબદારી
ગુજરાત પ્રદેશ ભરવાડ યુવા સંગઠનની તાજેતરમાં રચના કરવામાં આવી છે. આ સંગઠનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જામાભાઈ પોપટભાઈ ગરીયાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જામાભાઈ ગરીયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે. તેઓ લાંબા સમયથી સમાજ સેવા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેમની આ નિમણૂકથી સુરેન્દ્રનગરના ભરવાડ સમાજમાં સંતોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવી આગામી કાર્યો માટે શુભકામનાઓ આપી હતી. જામાભાઈ ગરીયાને મળેલી આ નવી જવાબદારીથી સુરેન્દ્રનગર જિલ્લાના ભરવાડ સમાજમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે.
Read full article on Divya Bhaskar