top
મનપા દ્વારા કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ડિમોલિશન:કાચા-પાકા અડચણરૂપ દબાણો દૂર કરી રોડ બનાવવાનો માર્ગ મોકળો કરાયો
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા સ્થિત મિલની ચાલી વિસ્તારમાં રસ્તાના કામમાં અડચણરૂપ બનતા દબાણો દૂર કરવા માટે મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું., મિલની ચાલીના આગળના ભાગે તેમજ રેલવેના પાટા વચ્ચેના લેઆઉટ મુજબના રસ્તા પર લાંબા સમયથી બિસ્માર રોડના કારણે સ્થાનિક લોકો પરેશાન હતા અને નવા રોડની માંગણી કરી રહ્યા હતા. દબાણ હટાવ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રસ્તાનું કામ શરૂ કરવા માટે નડતરરૂપ વધારાના બાંધકામો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે દબાણ દૂર થતાં જ રોડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, લોકોની માંગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી શરૂ કરતા પહેલા રસ્તા પર રહેલા કાચા-પાકા દબાણો હટાવવા જરૂરી હતા. જેના પગલે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ જેસીબીના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી રોડ પર આડે આવતા ઓટલા, નાના-મોટા શેડ અને ટાંકીઓ સહિતના દબાણો તોડી પાડ્યા હતા. બીજી તરફ મહાનગરપાલિકાની આ ડિમોલિશન કાર્યવાહી સામે સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે દબાણો હટાવતા પહેલા રસ્તા પર રહેલા વીજપોલ અને વૃક્ષોને યોગ્ય રીતે ખસેડવામાં આવે અને ત્યારબાદ જ રોડનું નિર્માણ કરવામાં આવે તેવી લોકો ની માંગ છે...
Read full article on Divya Bhaskar