crime
ડાયવર્ઝન કાઢવામાં આવશે:પુલના પીલર ફાટી ગયા છતા પણ વાહનોની અવર-જવર
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના જકાતનાકા તરીકે ઓળખાતા વિસ્તાર પાસે મુખ્ય માર્ગ પર આવેલ પુલ અતિ જર્જરીત બની ચૂક્યો છે. આ પુલના પીલર નીચેથી ફાટી નીકળ્યા છે અને ઉપરની તરફ એક બાજુએથી રોડ બેસી ચૂક્યો છે પરંતુ વેરાવળ બાયપાસ ને જોડતો એકમાત્ર મુખ્ય રોડ હોવાથી અહીંથી દરરોજ મોટા પ્રમાણમાં બાઇક, ફોર વ્હીલર, એસટી બસ, ખાનગી બસ અને રિક્ષા સહિત નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે અહીંથી પસાર થતા વાહનો પર જોખમ સેવાઈ રહ્યું છે.ગમે ત્યારે આ પુલ એક સાઇડ થી બેસી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ત્યારે તંત્ર આ બાબતે વહેલી તકે ધ્યાન આપી રિપેરિંગ કરાવે તે જરૂરી બન્યું છે. પાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પુલ નબળો થઈ ચૂક્યો હોવાનું ધ્યાને આવતા સર્વે કરવામાં આવ્યો છે.આગામી દિવસોમાં અહીંથી ડાયવર્ઝન આપી દેવામાં આવશે જેનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar