top
ગોધરાના બામરોલી રોડની સોસાયટીઓમાં રસ્તાની સમસ્યાનો અંત:વર્ષોની રાહ બાદ આંતરિક રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં વર્ષોથી કાચા રસ્તાઓની સમસ્યાથી તકલીફ ભોગવી રહેલા સ્થાનિકોને હવે રાહત મળશે. બામરોલી રોડ પર આવેલી કોમર્સ કોલેજ અને ગાયત્રીનગર સહિતની સોસાયટીઓના આંતરિક રસ્તાઓના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયું છે. વર્ષોની રાહ બાદ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. આ કામગીરી પૂરી થયા બાદ બામરોલી રોડની આંતરિક સોસાયટીઓમાં રહેતા લોકોને પાકા અને સારા રસ્તાની સુવિધા મળશે. લાંબા સમયથી સ્થાનિકો દ્વારા રસ્તાઓના નવીનીકરણની માંગ હતી, જે હવે પૂરી થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. ખાતમુહૂર્ત વખતે ગોધરા APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, રમેશ તલાટી, કે.ટી. પરીખ, શ્વેતાબા પુવાર સહિત નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. વર્ષોની માંગ બાદ રસ્તાના કામની શરૂઆત થતાં સ્થાનિકોએ રાહત વ્યક્ત કરી હતી અને નવા રસ્તાઓની સુવિધા મળવાની આશા રાખી હતી.
Read full article on Divya Bhaskar