Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

મહીસાગરમાં 'હર ઘર તિરંગા' અને 'વિભાજન સ્મૃતિ દિવસ'ની ઉજવણી થશે:કલેક્ટર અર્પિત સાગરે પત્રકાર પરિષદમાં માહિતી આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 9 views
મહીસાગરમાં 'હર ઘર તિરંગા' અને 'વિભાજન સ્મૃતિ દિવસ'ની ઉજવણી થશે:કલેક્ટર અર્પિત સાગરે પત્રકાર પરિષદમાં માહિતી આપી
મહીસાગર જિલ્લામાં આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમો, 'હર ઘર તિરંગા' અભિયાન અને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની વિગતો નાગરિકો સુધી પહોંચાડવા માટે કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, લુણાવાડા ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ આ વર્ષે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન "વંદે માતરમના 150 વર્ષ"ની વિશેષ થીમ સાથે 'હર ઘર તિરંગા' અભિયાન ઉજવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 13મી ઓગસ્ટના રોજ સાંજે 4:00 કલાકે લુણાવાડામાં એક ભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન કરાયું છે. આ યાત્રા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરી મહિલા પોલીસ ચોકી, ફૂવારાચોક, માંડવી બજાર અને ડો.પોલન સ્કૂલ થઈ આઝાદ મેદાન ખાતે સમાપ્ત થશે. યાત્રામાં જિપ્સી વાન, ડી.જે., પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો જોડાશે. આ ઉપરાંત, જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રાઓ યોજાશે. તમામ સરકારી ઇમારતો પર ત્રિરંગી રોશની કરવામાં આવશે. કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને harghartiranga.com પર પોતાની 'સેલ્ફી વિથ તિરંગા' અપલોડ કરવા અનુરોધ કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા આયોજિત બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટના રોજ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'નો છે. આ કાર્યક્રમ સાંજે 6:00 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. આ દિવસે ભારતના વિભાજન સમયે લોકોએ સહન કરેલી પીડા અને સંઘર્ષને યાદ કરવામાં આવશે. કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટકનું એલ.ઈ.ડી. સ્ક્રીન પર પ્રસારણ કરાશે. 13મી ઓગસ્ટથી કાર્યક્રમ સ્થળે એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવશે, જેની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઈટ માર્ચ પણ યોજાશે. અંતમાં, કલેક્ટરે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને 'ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા'ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી, સન્માનભેર પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી છે. વહીવટી તંત્ર દ્વારા આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા આહ્વાન કરવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan