lifestyle
જામનગરમાં શ્રાવણી અમાસે બાબા અમરનાથનો અલૌકિક શૃંગાર:જયંત સોસાયટીના સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોએ કર્યા દિવ્ય દર્શન
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે, શ્રાવણી અમાસ નિમિત્તે જામનગરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. હિંમતનગર વિસ્તારની જયંત સોસાયટીમાં આવેલા શ્રી રામ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ આયોજન કરાયું હતું. આ દિવસે દેવાધિદેવ મહાદેવને 'બાબા બર્ફાની' એટલે કે બાબા અમરનાથ મહાદેવના પવિત્ર હિમલિંગ સ્વરૂપનો અલૌકિક અને મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક ભક્તોએ બાબા અમરનાથના પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિ કરાવતી આ દિવ્ય ઝાંખીના દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે"ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ શિવજીની મહાઆરતી તથા પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. શ્રાવણ માસની પૂર્ણાહુતિ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં થઈ હતી.
Read full article on Divya Bhaskar