top
રાયગઢના વૈજનાથ મહાદેવને બાબા બરફાનીનો શણગાર:શીતળા સાતમે 551 કિલો બરફનો ઉપયોગ કરાયો, ભક્તો ઉમટ્યા દર્શનાર્થે
સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને કારણે શિવભક્તોમાં ભક્તિનો માહોલ છે. શ્રાવણ મહિના દરમિયાન જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને અલગ અલગ શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે શીતળા સાતમના દિવસે અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. વૈજનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા ભગવાન શિવને બરફનો બાબા બરફાનીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. આ શણગાર માટે 551 કિલો બરફનો ઉપયોગ કરાયો હતો. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ જણાવ્યું કે, ગુરુવારે શીતળા સાતમે યુવક મંડળે 551 કિલો બરફ વાપરીને વૈજનાથ મહાદેવનો ખાસ શણગાર કર્યો હતો. શીતળા સાતમના પવિત્ર દિવસે કરાયેલા આ અનોખા શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત, હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે પણ પૂજારી તરુણભાઈએ 35 કિલો ફૂલો અને પાંદડાઓનો શણગાર કર્યો હતો.
Read full article on Divya Bhaskar