Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાયગઢના વૈજનાથ મહાદેવને કાલ ભૈરવનો શણગાર:કાળા રંગ સહિત 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ અપાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 30, 2026 👁 8 views
રાયગઢના વૈજનાથ મહાદેવને કાલ ભૈરવનો શણગાર:કાળા રંગ સહિત 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ અપાયું
હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે કાલ ભૈરવનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર ભક્તિભાવપૂર્વક તૈયાર કરાયો હતો. વૈજનાથ યુવક મંડળ દ્વારા આ શણગાર તૈયાર કરાયો હતો. કાળા રંગ સહિત કુલ 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અનોખા શણગારે મંદિર પરિસરની શોભામાં વધારો કર્યો હતો. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત થયું હતું અને સૌએ વૈજનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે અને ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે પણ ફૂલો અને પાંદડીઓથી શણગાર કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan