top
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના વિવાદને લઈને આદિવાસી ખેડૂતોના ધરણાનો આજે 21મો દિવસ છે. પોતાના હક્ક અને જંગલ જમીન પર ખેડાણની મંજૂરીની માગ સાથે ખેડૂતો ધરણા કરી રહ્યા છે. જોકે, આ મુદ્દે હજુ સુધી કોઈ અંતિમ ઉકેલ આવ્યો નથી. દરમિયાન આ સમગ્ર મામલે ગાંધીનગરમાં સાંસદ મનસુખ વસાવાએ મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલે રાજ્ય સરકારના બે મંત્રીઓ ધરણા કરી રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરી શકે છે. વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી ઈશ્વરસિંહ પટેલ ખેડૂતોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળે તેવી શક્યતા છે. આ મુલાકાત બાદ સરકાર દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે. હવે ખેડૂતો સાથેની આ બેઠક બાદ વિવાદનો ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.